આઇમોગલ ની અખંડ જ્યોત

આજ ના દર્શન સાથે મોગલ જ્યોત ના દર્શન
#મોગલધામ એટલે #ભીમરાણા(જન્મભૂમિ)
મહંત પુજ્ય ઘનશ્યામગીરીબાપુ 30 વર્ષથી અખંડ જ્યોત ચાલુ કરીને અખંડ આહુતિ આપી રહ્યા છે,પણ હવે આપડે અખંડ જ્યોત નો ઉદ્દેશ અને અખંડ જ્યોત ના પ્રભાવ અને પ્રેરણા ક્યાંથી મળી એ વિશે જાણીએ
વર્ષો પહેલાં પુ.બાપુ મધ્યગીર માં મુંગીઆઇ ને સ્થાનક અનુષ્ઠાન કરવા માટે ગયેલા ત્યાં થી એમના વિશે માહિતી મલી કે  એ મુંગી આઇ મહાન ચારણ જગદંબા થઈ ગયા,મુંગીઆઇ બોલતાં નહીં સદાય મૌન રહેતાં અને ચારણો પ્રત્યે નો એમનો માતૃભાવ અદભુત હતો એમનો નિયમ હતો કે સાડાત્રણ પહાડા ચારણ માં કોઈ નાના કે મોટા કોઈ ચારણ નું મૃત્યુ ના થયું હોય તે દિવસ જ ગાય નું દૂધ પીતાં, બાકી નિત્ય ઉપવાસ આવા મહાન જગદંબા ના જીવન માંથી બાપુ એ પ્રેરણા લીધી કે મેં ભલે ભેખ લીધો પણ મારી જ્ઞાતિ (ચારણ)નું મારા પરનું ઋણ કયારેય ઉતરે નહીં જે જ્ઞાતી માં જન્મલીધો એ જ્ઞાતિ માટે જે થઈ શકે એ કરવું જોઈએ,પછી પુ. બાપુ વોંધ આઈશ્રી જહુમા (નવલાખ નો અખાડો) એ આઇ આદેશ થી આવ્યા બાપુ આવ્યા એ પેલા જહુમા એ બલી ચડાવાતી  એ બલિપ્રથા બાપુ એ બંધ કરાવી અને #સાડાત્રણ પ્હાડા ચારણ સમાજ ના હિત માટે અખંડ જ્યોત ની શરૂઆત કરી અને મંદિર ના વિકાસ માં 13 વર્ષ સુધી તપ કરી ને મંદિર નું નવનિર્માણ થયું ત્યાંની બાપુ ની ભૂમિકા પુરી થઈ પછી બાપુ જ્યારે ભીમરાણા મોગલધામ આવ્યા ત્યારે વોંધ થી #સાડાત્રણ પ્હાડા ચારણો ના હીત માટે ની અખંડ જ્યોત પણ સાથે લાવ્યા 
જે આજ પણ ભીમરાણા આઇ મોગલધામ માં પ્રકાશપાડી ને ચારણો નું હીતકરી રહ્યા છે,ત્યારબાદ ભીમરાણા બીજી એક જ્યોત બાપુ એ પ્રજવલિત કરી આઇમોગલમા ને માનવા વાળા અને બાપુ ના શિષ્યો માટે અને દરેક #મોગલછોરૂ# ના હીત માટે ચાલુ કરી.જે આજેપણ ભીમરાણા મોગલધામ માં #અખંડજ્યોતો#ચાલુ છે એક જ્યોત ને 30 વર્ષ થયાં અને એક જ્યોત ને 16 વર્ષ થયાં,અને દીવો બને ત્યાં સુધી ચોખ્ખું ઘર નું ધી હોય તો કરવો અથવા ધુપેલ તેલ નો કરવો કારણ કે ધી બજાર માં મળતાં હોય એમાં ચરબી ભેળસેળ હોવાની શક્યતા વધુ હોય છે.
મોગલ સાચી માત ખ્યાત રાખણ નવખંડે #આઇ #મોગલ ની #જ્યોત ના ઝગારા#
લી.જગદીશ નાગજીભાઈ સુંબડ (મહારાજ-મોગલછોરૂ)
ગુરૂ ઘનશ્યામગીરીબાપુ મહંત મોગલધામ ભીમરાણા


Comments

Popular posts from this blog

મોગલ માં ની ચરજ

મોગલધામ ભીમરાણા